Thursday, July 16, 2015

શુભ વિચારો જ કરીએ..

વ્યક્તિના મનમાં નબળો કે દુષ્ટ વિચાર તરંગસ્વરૂપે બહાર ફેલાયો.
તો તેની બે અસર થશેઃ

(૧) દુનિયામાં જ્યાં જ્યાં કોઈ પણ વ્યક્તિ તેવો જ નબળો કે દુષ્ટ વિચાર કરતી હશે, તેના તરફ આ નબળો કે દુષ્ટ વિચાર આકર્ષાશે અને મનમાં પ્રવેશશે.

પરિણામે તે વ્યક્તિના ‘આવા’ વિચારો વધશે. દ્રઢ થશે.

(૨) વિશ્વમાં જ્યાં જ્યાં જે વ્યક્તિઓ નબળા કે દુષ્ટ વિચારો કરતી હશે, તે બધાના વિચારો પણ આ વ્યક્તિ પ્રત્યે આકર્ષાશે અને તેના મનમાં પ્રવેશશે.

પરિણામે તેના પણ આવા વિચારો વધશે. તેથી આ વ્યક્તિ વધુ ને વધુ નબળા વિચારો કરવા લાગશે.

તે, નહીં ઈચ્છે તોપણ, દુષ્ટ વિચારો-પરિણામે કાર્યો-કરવા લાગશે.

આ જ નિયમ શુભ વિચારોને પણ લાગુ પડે છે...
તો આપણે સૌ શુભ વિચારો જ કરીએ..

No comments: