Tuesday, October 29, 2013

આગલી હરોળમાં બેસવાનું મળે તો ટાળજો

લાઓત્સેનું વચન છે :

જો તમારે ખરેખર સુખી થવું હોય તો ક્યાંય જો આગલી હરોળમાં બેસવાનું મળે તો ટાળજો.

જ્યાં તમારી કોઈ ઇર્ષ્યા ન કરે એવી છેલ્લી હરોળમાં બેસવાનું પસંદ કરજો.

કેમ કે લોકોનું મન અહીં ઇર્ષ્યા અને પ્રતિસ્પર્ધાથી ભરેલું છે.

એ તમને સહી નહી શકે અને વ્યર્થ સંઘર્ષ ઊભો થવાથી તમારા અંતરતરમાં અશાંતિના તરંગો ઊભા થશે.

આ સિવાય એક બીજી પણ શક્યતા છે કે મહત્તા કે સ્થાન મળવાથી અંદર પડેલા અહંકારના બીજને પોષણ મળી શકે છે.

અને એ રીતે તમારી અંતર્યાત્રાને નુકસાન થઈ શકે છે.

નહીંવત્ થઈને જીવવું, પોતાના અહંકારને ક્યાંયથી બળ ન મળે એ રીતે જીવવું ધર્મ અને અધ્યાત્મ જગતના યાત્રી માટે આ એક અનિવાર્ય બાબત છે.

बंधी है हाथ पे सब के घड़ियाँ मगर, पकड़ में एक भी लम्हा नहीं..!!

Thursday, October 3, 2013

ઘરડાં માં-બાપ, તેનો પુત્ર, ઘંટડી

એક કડવું સત્ય :

“દરેક સ્ત્રી પોતાના પુત્રને શ્રવણ બનાવવા ઈચ્છે છે,પણ કોઈ સ્ત્રી પોતાના પતિને શ્રવણ બનતા નથી જોઈ શક્તી.”
”બીમાર માં-બાપ ની ખબર પૂછવા માટે પત્નીની રજા લેવી પડે તે પુત્ર શું કામનો ?”
ખુબ સુંદર લેખ હતો માટે મને આ કોઈ મહાન વ્યક્તિએ લખેલી ઉપરની લાઈન યાદ આવી.મોટા ભાગની દરેક સ્ત્રીમાં આ વસ્તુ મળતી હોય છે.પ્ત્નીતો ઠીક પણ માં-બાપે જેણે ૨ જોવા ૦ વર્ષનો કર્યો તે પુત્ર પણ માં-બાપની અવગણના કરે છે.ભલે માં-બાપ તમને સુખી જોવા માંગતા હોય એટલે કશું બોલતા ના હોય પણ તેમના દિલમાં કેટલું દુ:ખ થતું હશે તેની પુત્ર કે પુત્રની પત્ની ને શું ખબર.

એક ઘરમાં એક ઘરડાં માં-બાપ ને તેનો પુત્ર એક રૂમમાં બંધ કરીને રાખતો હતો. પુત્રએ તેમના માટે એક ઘંટડી લગાવી આપી હતી કઈ કામ હોય ત્યારે માં-બાપ ઘંટડી વગાડે.આ બધું ઘરમાં રહેલો નાનો છોકરો પણ જોતો હતો.
સમય વિતતો ગયો.
એક દિવસ માં-બાપ મૃત્યુ પામ્યા.એક દિવસ પુત્ર પેલી ઘંટડી છોડતો હતો ત્યારે પેલો નાનો બાળક આવ્યો અને તેને કીધું , “રેહવા દો પપ્પા તમે જયારે ઘરડાં થશો ત્યારે તે ઘંટડી તમારે કામ આવશે”.
તમે જેવું કરો તેવું તમારી સાથે જયારે થાય ત્યારે તમને તેની વેદનાનો સાચો ખ્યાલ આવે.
“પહાડીવાળીમાં ની પૂજા કરવાને બદલે ઉંબળાવાળી માની પૂજા કરશો તો જીવન ધન્ય થઇ જશે.”
www.facebook.com/sameerbhanushali