લાઓત્સેનું વચન છે :
જો તમારે ખરેખર સુખી થવું હોય તો ક્યાંય જો આગલી હરોળમાં બેસવાનું મળે તો ટાળજો.
જ્યાં તમારી કોઈ ઇર્ષ્યા ન કરે એવી છેલ્લી હરોળમાં બેસવાનું પસંદ કરજો.
કેમ કે લોકોનું મન અહીં ઇર્ષ્યા અને પ્રતિસ્પર્ધાથી ભરેલું છે.
એ તમને સહી નહી શકે અને વ્યર્થ સંઘર્ષ ઊભો થવાથી તમારા અંતરતરમાં અશાંતિના તરંગો ઊભા થશે.
આ સિવાય એક બીજી પણ શક્યતા છે કે મહત્તા કે સ્થાન મળવાથી અંદર પડેલા અહંકારના બીજને પોષણ મળી શકે છે.
અને એ રીતે તમારી અંતર્યાત્રાને નુકસાન થઈ શકે છે.
નહીંવત્ થઈને જીવવું, પોતાના અહંકારને ક્યાંયથી બળ ન મળે એ રીતે જીવવું ધર્મ અને અધ્યાત્મ જગતના યાત્રી માટે આ એક અનિવાર્ય બાબત છે.
बंधी है हाथ पे सब के घड़ियाँ मगर, पकड़ में एक भी लम्हा नहीं..!!